Home આણંદ શ્વેત ક્રાંતિના પ્રણેતા અમૂલના આધ્યાસ્થાપક ત્રિભુવનદાસ પટેલની 29મી પુણ્યતિથિ, એક મિનિટનું મૌન...

શ્વેત ક્રાંતિના પ્રણેતા અમૂલના આધ્યાસ્થાપક ત્રિભુવનદાસ પટેલની 29મી પુણ્યતિથિ, એક મિનિટનું મૌન પાડ્યું

181
0

આણંદમાં વિના સહકાર નહિ ઉદ્ધાર ઉદ્દેશ્ય સહકારી ક્ષેત્રના પાયો નાખી અમુલની સ્થાપના કરનારા અને શ્વેત ક્રાંતિના પ્રણેતા અમૂલના આધ્યાસ્થાપક ત્રિભુવનદાસ પટેલની આજ રોજ 29મી પુણ્યતિથિ છે. ત્રિભુવનદાસ પટેલની 29મી પુણ્યતિથિ નિમિત્તે તેમને અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા સહિત અમૂલ ડેરીના કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તેમજ એક મિનિટનું મૌન પાડી ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરી ત્રિભોવનદાસ પટેલે આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. ત્રિભુવનદાસ પટેલનો જન્મ 22 ઓક્ટોબર 1903ના રોજ આણંદમાં થયો હતો. જ્યારે 3 જૂન 1994ના રોજ તેમનું દુ:ખદ અવસાન થયું હતું.

વલ્લભભાઈ પટેલની દૂરંદેશીતાથી પ્રેરિત થઈને, તેમણે અમૂલ ડેરીના સ્થાપના કરી તેનું નેતૃત્વ કર્યું હતું. અમૂલ ગુજરાત રાજ્યના દૂધ ઉત્પાદકોની આર્થિક શક્તિ અને પ્રગતિનું પ્રતિક બની ગયું છે, જે સમર્થન આપે છે કે સહકારી સંસ્થાઓ ટકી શકે છે, વિકાસ કરી શકે છે અને વૈશ્વિક પણ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here