કાલોલ: 21 માર્ચ
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના મધવાસ પંચાયત વિસ્તાર નજીક આવેલી ખાનગી કંપનીઓમાં નોકરી કરતા અને મધવાસ ચોકડી પાસે આવેલ મહાવીર કોમ્પલેક્ષમાં ભાડાની રૂમમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકે કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધવેલી ફરિયાદની વિગતો મુજબ મહાવીર કોમ્પલેક્ષમાં ભાડાની રૂમમાં રહેતા પરપ્રાંતીય કામદારોના વસવાટદારો પૈકીના મૂળ ઉત્તરાખંડના શ્રમિક કુલદીપસિંહ ચરણસિંહ રાવતે (ઉ.વ ૨૧) કોઈ અગમ્ય કારણોસર તા-૨૦-૦૩-૨૦૨૩ના રોજ સાંજના ૫ થી ૮ વાગ્યાના સમયગાળામાં મહાવીર કોમ્પલેક્ષના એક રૂમમાં એક રૂમાલના વડે પંખા ઉપર ગળે ફાંસો ખાઈ લેતાં મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે ઘટના અંગે કાલોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લટકતા મૃતદેહનો કબજો મેળવી શ્રમિકની સઘન વિગતો અંગે નજીકના અન્ય પરપ્રાંતીય કામદારોની પુછપરછ કરીને જરૂરી પંચકયાસ સાથે લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં મોકલી આપીને પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.