બિપરજોય ચક્રવાત ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાનું છે. ત્યારે વાવાઝોડાની અસરને લઇને રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ રાજ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજા વરસ્યા હતા.
ચક્રવાતની અસર વચ્ચે અમદાવાદના બોડકદેવ, સેટેલાઈટ, SG હાઈવે જેવા અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું અને અમદાવાદના આકશમાં વાદળો જાણે રમતે ચડ્યા હોય તેમ આકાશમાં વાદળોએ દેવાધિદેવ મહાદેવની પ્રતિકૃતિ સર્જી હતી જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર વિજયગીરી બાવાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ તસવીર શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, બિપરજોય પહેલાં સાક્ષાત તાંડવના દેવ પ્રગટ થયા.હર હર મહાદેવ. તેમણે શેર કરેલી તસવીરમાં લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી હતી.