પંચમહાલ: 2 ઓગસ્ટ
પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નાં આવતા આજ રોજથી પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૨૨૭ જેટલા તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતા.
પંચમહાલ જિલ્લા ૨૨૭ તલાટી કમ મંત્રીઓએ આજ રોજ પોતાના પડતર પ્રશ્નો મામલે યોગ્ય નિરાકરણ નાં આવતા આજ રોજ થી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.જેમાં પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓમાં ગોધરા – ૫૪,કાલોલ -૩૫,હાલોલ -૪૦,ઘોઘબા – ૨૪, શહેરા – ૪૦,જાંબુઘોડા – ૧૨ અને મોરવા હડફ – ૨૨ નો સમાવેશ થાય છે.
ત્યારે આ અંગે પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ને રજૂઆત કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૮ થી પોતાના પડતર પ્રશ્નો મામલે સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આ અગાઉ પણ તલાટીઓ તા.૭.૯.૨૦૨૧ નાં રોજ હડતાળ નું એલાન કરવામાં આવ્યું હતું.પરંતુ તે સમયે સરકાર દ્વારા અમારા પ્રશ્નોનું સુખદ ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
જેને લઇ હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી.ત્યારે તે ખાતરી આપ્યા ને નવ માસ જેટલો સમય વીતવા આવ્યો છતાંય અમારા એક પણ પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.અને જેના માટે વારંવાર રજૂઆત કરવા છતાંય અમારી રજૂઆત ને સરકાર ઘોળીને પી ગયા છે.ત્યારે હવે અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ સરકાર નથી લાવી રહી ત્યારે અમારે આજ રોજ થી ગુજરાત રાજ્યના તલાટી મહા મંડળ નાં નેજા હેઠળ પંચમહાલ જિલ્લાનાં ૨૨૭ તલાટી કમ મંત્રીઓ એ પણ પોતાના પડતર પ્રશ્નો અંગે સુર પુરાવી ને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.
ત્યારે અત્રે નોંધનીય છે કે તલાટીઓ દ્વારા આગામી ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયતની કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવવાની કામગીરી કરશે.તે સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી આજે તા.૨ ઓગસ્ટ થી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે.ત્યારે રાજ્ય તલાટી મહા મંડળ નો આગામી આદેશ નાં થાય ત્યાં સુધી હડતાળ શસ્ત્રનું ચુસ્ત પણે અમલ કરશે.