Home આંકલાવ આંકલાવ સીમમાં વીજપોલ નાખવા સામે ખેડૂતોનો વિરોધ

આંકલાવ સીમમાં વીજપોલ નાખવા સામે ખેડૂતોનો વિરોધ

181
0

આંકલાવ : 22 માર્ચ


આંકલાવ સીમમાં જેટકો કંપનીએ વીજ પોલ નાંખવા માટે કામગીરી હાથ ધરી હતી. જેથી 100થી વધુ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. જે તે સમયે હાઇકોર્ટમાં ખેડૂતો ગયા હતાં. જેની સુનાવણી હાથ ધરાઇ નથી તે પહેલાં જ જેટકોએ વીજ પોલ નાંખવની કામગીરી શરૂ કરતાં ખેડૂતો રોષ ભરાયા હતા. તેઓએ આણંદ જિલ્લા ક્લેક્ટરને મળીને હાઇકોર્ટનો ચુકાદો જે આવશે તે માન્ય રહેશે, પરંતુ ત્યાં સુધી જેટકો કંપનીને વીજપોલનાંખવાની કામગીરી બંધ કરવાની માંગ કરી હતી. વીજ પોલની કામગીરી પગલે ખેડૂતોના પાકને નુકશાન થાય છે. જે ખેડૂતોએ ક્લેક્ટરને મળીને રજૂઆત કરી કામગીરી અટકાવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here