Home Other યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસથી દવા પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ!

યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસથી દવા પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ!

36
0

સુરેન્દ્રનગર: 19 જાન્યુઆરી


આત્મહત્યાનો પ્રયાસ મામલો

સુરેન્દ્રનગર રતનપર ખાતે રહેતા યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસથી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર!…

યુવકે પોતાના ઘરે જ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા હાલ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો…

સુરેન્દ્રનગર રતનપર ખાતે રહેતા યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસથી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હોવાની જાણકારી બહાર આવી રહી છે. આ યુવકે પોતાના ઘરે જ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા હાલ સારવાર અર્થે તેને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર ના રતનપર ખાતે રહેતા યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસથી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરવા ના ચકચારી  ઘટનામાં ભોગ બનનારા યુવક પાસેથી વ્યાજખોરોના નામ સાથેની ચીઠ્ઠી પણ મળી આવી હોવાની ચર્ચા એ વેગ પકડ્યો છે,આ યુવકે પોતાના ઘરે જ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા હાલ સારવાર અર્થે સુરેન્દ્રનગરની એક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં લખાયેલી ચિઠ્ઠીમાં  3 થી 4 વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધેલી રકમ અને વ્યાજ ચૂકતે કરી આપી દીધું હોવા વ્યાજખોરો ધ્વારા માનસિક ત્રાસ આપતો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.હાલ પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનામાં પોલીસે ચિઠ્ઠીના આધારે વધુ તપાસ હાથ ધરી હોવાની જાણકારી બહાર આવી રહી છે.


અહેવાલ : સચિન પીઠવા સુરેન્દ્રનગર
Previous articleવર્ષ 2021માં સુરેન્દ્રનગર જિલ્લામાં 30,185 દસ્તાવેજો થયા, સરકારને 65 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યૂટીની આવક થઇ…
Next articleસુરેન્દ્રનગર જીલ્લા પોલીસ ધ્વારા આપવામાં આવી મહિલા સ્વરક્ષણ તાલીમ…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here