Home આસ્થા ઓડિશાનું જગન્નાથ મંદિર છે વિશ્વવિખ્યાત… જાણો તેની રહસ્યમય વાતો …

ઓડિશાનું જગન્નાથ મંદિર છે વિશ્વવિખ્યાત… જાણો તેની રહસ્યમય વાતો …

103
0

રથયાત્રાની ઘડી હવે આવી ગઇ. આખા વર્ષ દરમિયાન ભક્તો ભગવાનના દર્શને જતા હોય છે પણ રથયાત્રાનો દિવસ એટલેકે, એ દિવસ હોય છે જ્યારે જગતના નાથ પોતે ઠાઠમાઠથી નગરચર્યાએ નિકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે. હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન ઓડિશાના પુરીનું જગન્નાથ મંદિર વિશ્વ વિખ્યાત છે. જગતના નાથની કૃપા કહો કે ચમત્કાર. આપણે મોટાભાગના મંદિરનો શિખર પર પક્ષીઓ બેસેલા અને ઉડતા જોઈએ છે. જગન્નાથ મંદિરની આ વાત તમને ચોંકાવી દેશે કે, તેની ઉપરથી કોઈ પક્ષી પસાર થતું નથી. સમુદ્ર તટ પર દિવસમાં હવા જમીનની તરફ આવે છે અને સાંજે તેનાથી વિપરીત દિશામાં વહે છે, પરંતુ પુરીમાં હવા દિવસમાં સમુદ્રની તરફ આવે છે અને રાત્રે મંદિર તરફ વહે છે.

 જગન્નાથ મંદિર પર એક સુદર્શન ચક્ર લાગેલું છે. જેને તમે કોઈપણ દિશામાંથી જોશો, તો તે સામે જ નજર આવશે. સામાન્ય રીતે મંદિરના શિખર પર લગાવેલી ધજા એ જ તરફ ઉડે છે, જે તરફ પવન આવતો હોય છે. પરંતુ જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગૂ નથી પડતો. આ મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં ફરકે છે. અહીં એવુ કેમ થાય છે, તે આજ સુધી કોઈ નથી જાણી શક્યું.

મંદિરમાં પ્રસાદ બનાવવા માટે સાત વાસણોને એકબીજાની ઉપર રાખવામાં આવે છે અને પ્રસાદ લાકડા સળગાવીને પકાવવામાં આવે છે. આશ્ચર્ય એવું છે કે, આ પ્રક્રિયામાં સૌથી ઉપરના વાસણનો પ્રસાદ પહેલા પાકે છે. તેમજ મંદિરના સિંહદ્વારમાં પ્રવેશ કરો ત્યારે તમને લહેરોનો અવાજ નથી આવતો. પરંતુ જરાક બહાર આવશો કે તરત જ લહેરોનું સંગીત કાને પડવા લાગે છે. મંદિરમાં ક્યારેય હજારો તો રથયાત્રા જેવા તહેવારોના સમયમાં લાખો લોકો ભોજન કરે છે. પરંતુ ક્યારેય અહીં અન્નની ઘટ નથી પડતી. દરેક સમયે આખા વર્ષ માટેનો ભંડાર પુરાયેલો જ રહે છે. સૌથી અજાયબી ભરી વાત એ છે કે, આ મંદિરના ગુંબજનો પડછાયો જમીન પર નથી પડતો. જે જોઈને ભક્તો ખૂબ જ આશ્ચર્ય અનુભવે છે. ઓડિશાનું જગન્નાથપુરી મંદિરએ દેશભરમાં હિંદુઓની આસ્થાનું એક મોટું પ્રતિક છે. પુરીના જગન્નાથ મંદિરનું એવું સત છેકે, ત્યાં સાચા મનથી ભગવાન જગન્નાથના દર્શન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here