પોરબંદરમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે વાવાઝોડા સંદર્ભે પ્રશાસનની પૂર્વ તૈયારીઓ ની માહિતી મેળવી કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ગુજરાતના દરિયાકાંઠે સંભવિત કુદરતી આપતી અંગે જરૂરી પૂર્વ તૈયારીના પગલાં લઈ શકાય તે માટે રાજ્ય પ્રશાસન અને અમને માર્ગદર્શન આપ્યું છે. ભારત સરકારના સંકલનથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસનોએ વાવાઝોડા પૂર્વે ટીમ વર્કથી કામ કર્યું છે અને હજુ પણ જરૂરિયાત મુજબ ટીમો કામ કરી રહી છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જરૂરિયાત મુજબ માલ પરિવહન માટે રેલવે પણ તમામ પ્રકારની મદદ કરશે. રેલ્વે દ્રારા પણ સાવચેતી રૂપે પગલા લેવાયા છે.
સોમનાથ અને દ્વારકા સહિતના તીર્થ સ્થળોએ આ કુદરતી આપત્તિમાં નુકસાન ન થાય તે માટે પણ સ્થળાંતર અને લોકોને મદદરૂપ થવા માટે એક વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરતા મંત્રીએ જણાવ્યું કે પોરબંદર જિલ્લામાં 59 સગર્ભા બહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવા આરોગ્ય વિશયક પગલા લેવામાં આવ્યા છે હોસ્પિટલમાં પૂર્વ તૈયારી તેમજ વીજ પુરવઠો ખોરવાય તો વહેલાસર રેસ્ટોરેશન થઈ શકે તે માટે પણ તૈયારી રાખવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં 1200 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હજુ આ કામગીરી ચાલુ છે. કેન્દ્રીય મંત્રી ત્રણ દિવસ સુધી પોરબંદર ખાતે રોકાણ કરશે. વાવાઝોડા સંદર્ભે કામગીરી રાહત બચાવ તકેદારી અંગે માર્ગદર્શન આપશે.
પોરબંદર કલેક્ટર કચેરી ખાતે પોરબંદરના કલેક્ટર કે.ડી. લાખાણીએ જિલ્લામાં અત્યાર સુધી કરવામાં આવી રહેલી કામગીરી અને જુદા જુદા વિભાગોએ કરેલી કામગીરીની માહિતી મંત્રીને આપી હતી. આ તકે પ્રભારી મંત્રી કુવરજીભાઈ બાવળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પણ ગઈકાલે પોરબંદરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ પ્રશાસનને માર્ગદર્શન આપ્યું છે. કુદરતી આફત સામે સૌ સંસ્થાઓ, પદાધિકારીઓ સંગઠનો અને સેવાભાવી અગ્રણીઓ ની મદદ લઈ સરકાર સાથે સંકલન કરી કામગીરી કરી ઓછામાં ઓછું નુકસાન થાય એવા ઝિરો કેઝુઆલિટીના અભિગમ સાથે જિલ્લામાં કામ કરવામાં આવી રહ્યું છે ઉચ્ચ સ્તરીય વિડિયો કોન્ફરન્સ અને મિટિંગમાં સાંસદ રમેશભાઈ ધડુક, કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ ઓડેદરા, એસપી રવિ મોહન સૈનિ ,જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠક્કર, અધિક કલેક્ટર મેહુલ જોશી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી એ ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને 59 જેટલી સગર્ભા મહિલાઓ ને લેડી હોસ્પિટલમાં તાત્કાલિક શિફ્ટ કરાય છે તેમની પણ મુલાકાત લઈ હતી ત્યારબાદ સુભાષ નગરમાં વેચાણ વાળા વિસ્તારમાંથી આશ્રય સ્થળ પર ખસેડાયેલ લોકોની પણ મુલાકાત લઈ પરિસ્થિતીથી વાકેફ થયા હતા.