Home આણંદ લવ જેહાદ અને લેન્ડ જેહાદને લઈ આણંદમાં કાજલ હિન્દુસ્તાની લાલઘૂમ

લવ જેહાદ અને લેન્ડ જેહાદને લઈ આણંદમાં કાજલ હિન્દુસ્તાની લાલઘૂમ

309
0

શહેરના ટાઉનહોલ ખાતે હિન્દૂ જાગૃતિ અભિયાન સમિતિનાં ઉપક્રમે જાહેર ધર્મસભા યોજાઈ હતી. આ કાર્યક્રમમા ખાસ કાજલ હિન્દુસ્તાનિ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ખાસ કરીને લવ જેહાદ તથા લેન્ડ જેહાદના વધી રહેલા બનાવોને અટકાવવા હિન્દુઓએ શુ કાળજી રાખવી જોઈએ, તે અંગે સભા યોજાઈ હતી. જેમા કાજલ હિન્દુસ્થાની દ્વારા ભાઈચારા પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે અગર સીતાને સદીના બનાવો છો તો જ્યારે આસીફાને આરતી બને છે તો સર ધડથી અલગ કેમ કરો છો? ભાઈચારો બંને તરફ હોવો જોઈએ. એટલું જ નહિ યમુના નદીને જમુની તહેજીબ ગણાવવા પર પણ કાજલ હિન્દુસ્તાનીએ કહ્યુ કે, આ તો હિન્દુઓને ઉલ્લુ બનાવવાનુ કાવતરૂ છે. કારણ કે હિન્દુ ભોળો છે. આપણે તો સાંપને દૂધ પીવડાવીએ એવો આપણો ધર્મ આપણને શીખવાડે છે. ત્યારે લવ જેહાદ અને લેન્ડ જેહાદ અટકાવવા કાયદો બનશે તો જ આવી ઘટના અટકશે તેમ કહી જેહાદીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

કાજલ હિન્દુસ્તાનીએ મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ કે, આજે મારું આણંદ આવવાનું થયું છે, શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આ કાર્યક્રમમાં. જે વિશેષ કર લવજીહાદ અને અવેધ અતિક્રમણ ઉપર રાખેલું છે. આપ સૌ જાણો છો કે આખા ભારતમાં ઘણા બધા એવા સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો અને હિંદુ સંગઠનો મળીને પ્રયાસ કરી રહ્યા છે કે, લવ જેહાદના એકલા આણંદમાં છેલ્લા એક મહિનામાં 10 થી વધુ કેસ આવ્યા છે. એ મને જાણવા મળ્યું છે. . એના માટે સરકાર તો સરકારનું કામ કરે છે, પોલીસ એમનું કામ કરે છે, પ્રશાસન એમનું કામ કરે છે, પરંતુ ગુજરાતના નાગરિક તરીકે અને ભારતના જવાબદાર નાગરિક તરીકે આપણા બધાની જવાબદારી થાય કે ભારતની જે હિન્દુ દીકરીઓ છે, એને આ લવજીહદી, નરપિશાચી, નરભક્ષીઓ નો ભોગ બનવાથી આપણે બચાવીએ. માટે આ એક જાગૃતતા અભિયાન આખા ભારતમાં શરૂ કર્યો છે. અને એ તખ્ત થી મને આજે પણ અહીંયા આવનો મને અવસર પ્રાપ્ત થયો છે, ને અહીંયા ની જનતાને પણ જાગૃત કરીશ કે આપણે કહી સાવચેતી રાખવી જોઈએ.”

સાથેજ લવજેહાદ અને લેન્ડ જેહાદ અટકાવવા માટે કહ્યુ કે, “મને એવું લાગે છે કે આને નેશનલ સિક્યુરિટીનો આ મુદ્દો છે. ક્યાંક ને ક્યાંક લવ જેહાદ અને અવેધ અતિક્રમણ નું કનેક્શન આતંકવાદ જોડે છે. તો આ નેશનલ સિક્યોરિટી નો વિષય છે.કારણ કે સિસ્ટેમેટીકલી હિન્દુઓનું ધર્માંતરણ થઈ રહ્યું છે. અને આપણે જોઈએ છે કે ધર્માંતરણ કરાવવા માટે પણ ફોરેન ફંડિંગ થાય છે. તો મને લાગે છે કે, એવો કાયદો બનવો જોઈએ કે જેમાં જે છોકરાઓ લવજેહાદ કરે છે, જે સંગઠનો ધર્માંતરણ કરાવે છે, આદિવાસી વિસ્તારમાં જઈને અથવા હિન્દુઓને લોભ લાલચ બતાવીને,કે ડરાવીને કે ધમકાવીને એ બધાને NSA ના અંદર કાયદાની અંદર લાવવા જોઈએ અને સખ્ત માં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. કારણ કે સખ્ત કાનૂન બનશે તો જ આના ઉપર રોક આવી શકશે. પરંતુ સાથે સાથે સમાજના જે આપણી બધાણી જવાબદારી એ બને છે કે આપણે જાગૃતતા અભિયાન ચલાવવું જોઈએ. અને સમસ્ત હિન્દુઓને મળીને આમાં કામ કરવું પડશે. ત્યારે જ આપણે લવ જેહાદ અને આવેશ અધિક્રમણથી બચી શકીશું.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here