Home ટૉપ ન્યૂઝ ISRAEL-HAMAS યુદ્ધ: ઓપરેશન અજય હેઠળ પાંચમી ફ્લાઇટ દિલ્હી પહોંચી, 286 ભારતીય અને...

ISRAEL-HAMAS યુદ્ધ: ઓપરેશન અજય હેઠળ પાંચમી ફ્લાઇટ દિલ્હી પહોંચી, 286 ભારતીય અને 18 નેપાળી નાગરિકો ઘરે પરત ફર્યા

117
0

ઓપરેશન અજય હેઠળ ઈઝરાયેલથી 286 ભારતીય નાગરિકો અને 18 નેપાળી નાગરિકોને લઈને પાંચમી ફ્લાઈટ દિલ્હી પહોંચી. કેન્દ્રીય મંત્રી એલ મુરુગને મુસાફરોનું સ્વાગત કર્યું.તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેના યુદ્ધને ધ્યાનમાં રાખીને ત્યાં રહેતા ભારતીયોને તેમના દેશમાં પાછા લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, અમે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, વિદેશ મંત્રાલયની ટીમ, એર ઈન્ડિયાની આ ફ્લાઈટના ક્રૂના આભારી છીએ જેમણે આ શક્ય બનાવ્યું, અમારા બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ કરીને ઘરે પાછા લાવ્યા.

થોડા દિવસો પહેલા 212 ભારતીય નાગરિકોને લઈને ઈઝરાયેલથી પ્રથમ ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. ફલાઈટ દિલ્હી પહોચ્યા બાદ કેન્દ્રીય મંત્રીએ નાગરિકોનું એરપોર્ટ સ્વાગત કર્યું હતું. ઓપરેશન અજય હેઠળ ઇઝરાયેલથી ભારત લાવવામાં આવેલા મનોજ કુમારે જણાવ્યું કે, હું ત્યાં પોસ્ટ ડોક્ટરલ ફેલો તરીકે કામ કરતો હતો, મારી પત્ની અને 4 વર્ષની પુત્રી પણ મારી સાથે છે, હું સુરક્ષિત રીતે ભારત આવવા માટે ભારતના વિદેશ મંત્રાલયનો આભાર માનું છું. ઈઝરાયેલની સરકાર પણ દિવસ-રાત કામ કરી રહી છે.ઈઝરાયેલથી ભારત આવેલી સીમા બલસારાએ કહ્યું કે, “હું એર ઈન્ડિયા વતી તેલ અવીવમાં એરપોર્ટ મેનેજર તરીકે કામ કરતી હતી, હું છેલ્લા 10 મહિનાથી ત્યાં હતી, અમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. છેલ્લા 4થી 5 દિવસથી પરિસ્થિતિ તંગ છે. જે લોકોને હચમચાવી ઉઠે છે. જો કે હું તેલ અવીવમાં રહતો હતો જયારે મારો પરિવાર ભારતમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here