Home પંચમહાલ જીલ્લો કાલોલ હાઈવે સ્થિત બોરૂ ટર્નિંગ પાસે રોડ ક્રોસ કરતા આઇશર સાથે મોટરસાયકલ...

કાલોલ હાઈવે સ્થિત બોરૂ ટર્નિંગ પાસે રોડ ક્રોસ કરતા આઇશર સાથે મોટરસાયકલ અકસ્માત થતા મોટરસાયકલ ચાલક યુવકનું સારવાર દરમ્યાન મોત

151
0

કાલોલ હાઈવે સ્થિત બોરૂ ટર્નિંગ પાસે રોડ ક્રોસ કરતા આઇશર સાથે મોટરસાયકલ ઘુસી જતા મોટરસાયકલ ચાલક યુવકનું સારવાર દરમ્યાન મોત

કાલોલ શહેરના હાઈવે સ્થિત બોરૂ ટર્નિંગ સ્થિત સરકીટ હાઉસ નજીક બુધવારે રોડ ક્રોસ કરતી એક આઇશર સાથે મોટરસાયકલ ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. અકસ્માત ઘટના અંગે દાખલ ફરિયાદની વિગતો અનુસાર કાલોલ તાલુકાના બેઢિયાના તલાવડી ફળિયાના નરેંદ્રસિંહ મહેન્દ્રસિંહ બારીઆ (ઉ.વ ૩૦) અને તેના પિતરાઈ ભાઈ જગત ગણપતસિંહ ચૌહાણ બન્ને તેમની બજાજ પલ્સરની મોટરસાયકલ ઉપર સાંજના ચાર વાગ્યના સુમારે અમારા ઘરેથી નિકળીને હાલોલ નવજીવન હોટલ સ્થિત રહેલા પોતાના સગાનું આઇશર લેવા જવા માટે નીકળ્યા હતા અને નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ બારીઆ પોતે જ મોટરસાયકલ ચલાવતા હતો. જેઓ બન્ને સાંજના સાડા ચારેક વાગ્યેના સુમારે કાલોલ શહેરના હાઈવે પર સરકીટ હાઉસ નજીકથી પસાર થતા સમયે અચાનક સરકીટ હાઉસ તરફથી હાઈવે ક્રોસ કરવા જતા એક ગફલતભરી રીતે હંકારી આવતું આઇશર પુરઝડપે બહાર નીકળી આવતા એ સમયે કાલોલ તરફથી આવતી આ મોટરસાયકલ આઇશરમાં ઘૂસી જતાં મોટરસાયકલ ચાલક નરેન્દ્ર બારીયા અને પાછળ બેઠેલા જગત ચૌહાણ બન્ને રોડ પર પટકાયા હતા જે પૈકી નરેન્દ્ર બારીયા આઇશર નીચે આવી જતાં તેના શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક અસરથી નજીકમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ માથાના ભાગે પહોંચેલી ગંભીર ઈજાઓને પગલે અંતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત બનેલા જગત ચૌહાણને વધુ સારવાર અર્થે ગોધરા ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર અકસ્માત ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે શોક વર્તાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર આઇશર ચાલક અકસ્માત સ્થળે આઇશર છોડીને ભાગી ગયો હતો જ અંગેની ફરિયાદને આધારે કાલોલ પોલીસે ફરાર એવા અજાણ્યા આઇશર ચાલક વિરુદ્ધ અકસ્માત સર્જવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here