કાલોલ : 8 જાન્યુઆરી
કાલોલ તાલુકામાં આવેલી સગણપુરા પ્રાથમિક શાળા ના બાળકો ને શિક્ષણ ની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિના ભાગ રૂપે કચ્છ જિલ્લાના વિવિધ સ્થળો નો પ્રવાસ જેમાં કચ્છ માં આવેલ અંજાર ,સફેદરણ ,ભુજ , માતાના મઢ.નારાયણ સરોવર,કોટેશ્વર , અંબે ધામ ( ગોધરા) અને માંડવી ખાતે આવેલ વિવિધ સ્થળો એ બાળકો ને શિક્ષણ સાથે સાથે સહશૈક્ષણિક પ્રવૃત્તિ ના ભાગ રૂપે આ પ્રવાસ ના આયોજન માં ધોરણ ૫ થી ૮ ના કુલ =૫૨+૪ શિક્ષકો સાથે આ પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું અને બાળકો ને કચ્છ ના વિવિધ સ્થળો ની રૂબરૂ મુલાકાત કરાવી ને ૩ દિવસ નો પ્રવાસ પૂર્ણ કરી ને બાળકો સાથે સહી સલામત ઘરે પરત ફર્યા અને કચ્છ જિલ્લા ની ભાતીગળ સંસ્કૃતિની સમજણ સગનપુરા ના નાનકડા બાળકો એ પ્રવાની મજા લઇ ને આનંદ મય વાતાવરણ સાથે પરત ફર્યા.