કાલોલ કાછીયાનીવાડી ખાતે શહીદ દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો : ૬૨ બોટલ રક્તદાન થયુ
કાલોલ શહેરના કાછીયા સમાજની વાડી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી મદમોહનજી મહારાજ ધોલેરા તથા સત્સંગીઓના ગુરુપદે ધર્મવંશી આચાર્યપદ સ્થાપના તથા શ્રી હરિ હસ્તલિખિત સર્વજીવ હિતાવહ શ્રી શિક્ષાપત્રી લેખનના દ્વિશતાબ્દી વર્ષના ઉપક્રમે રવિવારે શહીદ દિવસ નિમિત્તે કેન્સર પીડિત, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓની મદદ માટે ગુજરાતભરમાં રક્તદાન કેમ્પ આયોજીત કરવાના ભાગરૂપે કાલોલ માં લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા કાછિયાની વાડી ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
ઓ
વડતાલવાસી કેવલ સ્વરૂપ સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા, પક્ષના નેતા, કારોબારી અધ્યક્ષ તેમજ મહિલા સભ્યો સહિત પાલિકાના કાઉન્સિલરો હાજર રહ્યાં હતા.