Home Trending Special મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસ કામોનું...

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું..

160
0

ગાંધીનગર: ૮ જાન્યુઆરી

(પ્રેસનોટ)

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ  અને મુખ્ય સચિવ પંકજ કુમારે માર્ગ મકાન સચિવ સંદિપ વસાવા ને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા ૬ માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.
તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજ ના કામો ની પણ મુલાકાત લીધી હતી.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા ના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા.

અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરી ની સમીક્ષા કરી હતી.


પ્રતિનિધિ:ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here