Home Other આણંદ હાઇસ્કૂલના શિક્ષક ડૉ. રાકેશ રાવતની ‘અતુલ્ય વારસો એવોર્ડ’માટે પસંદગી.

આણંદ હાઇસ્કૂલના શિક્ષક ડૉ. રાકેશ રાવતની ‘અતુલ્ય વારસો એવોર્ડ’માટે પસંદગી.

15
0

રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ હાઈસ્કૂલ આણંદના ભાષા શિક્ષક ડૉ. રાકેશ રાવતની ‘અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ 25-26’માટે પસંદગી થઈ છે. ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનું પ્રયાસ કરી રહેલ વ્યક્તિનું યોગ્ય સન્માન દર વર્ષે અતુલ્ય વારસાની ટીમ દ્વારા થાય છે. ડૉ. રાકેશ રાવત આણંદ હાઇસ્કૂલ આણંદમાં છેલ્લા 15 વર્ષથી ભાષા સાથે કલાને સાંકળીને શિક્ષણ આપી રહયા છે. સંસ્કૃતિના પ્રચાર – પ્રસાર માટેનું સૌથી મહત્વપૂર્ણ સાધન કલા છે. ડૉ. રાકેશ રાવત આપણા વિસરાતા લોકવાદ્યો પર સંશોધન કરી રહ્યા છે.’ લોકવાદ્ય ઢોલ:પરંપરા અને પ્રસ્તુતિ’ પર તેમનું સંશોધન પૂર્ણતાને આરે છે. ગુજરાતના વિવિધ ગામડાઓમાં રજળપાટ કરીને તેઓએ ઢોલ તેની બનાવટ અને વિવિધ સમાજોમાં વાર-તહેવારે તેની પ્રસ્તુતિ કઈ રીતે થાય છે તેનો અભ્યાસ કરેલ છે.

આ અગાઉ ડૉ.રાકેશ રાવતના વિવિધ વિષય સંદર્ભ ેઆઠેક પુસ્તકો પ્રકાશિત થયા છે જે તેમની શિક્ષણ સાથે- સાથે સંશોધન અને અભ્યાસ પ્રીતિ બતાવે છે. ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારના ભાષાશિક્ષકો સાથે તેઓ સતત સંવાદ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અને વિદ્યાર્થીઓના મનની વાત તેમણે ‘મારે પણ કંઈક કહેવું છે’ પુસ્તકમાં સંપાદિત કરી છે. આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ તેઓ પસંદગી પામેલા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ સાથે પણ તેઓ સંકળાયેલા છે. સતત અભ્યાસરત રહીને અભ્યાસ કરાવનાર ભાષાશિક્ષક ડૉ.રાકેશ રાવતને અતુલ્ય વારસો એવોર્ડ મળી રહ્યો છે એનો શાળા પરિવાર અને શ્રી રામકૃષ્ણ સેવા મંડળને વિશેષ આનંદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here