પંચમહાલ: 2 ઓગસ્ટ
એનએસએસ વિભાગના વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું
તારીખ 2-8 -2022 ના રોજ ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એનએસએસ વિભાગ દ્વારા બુસ્ટર ડોઝ વેક્સિનેશન નો પ્રોગ્રામ રખાવ્યો હતો. સવારે 10 વાગ્યાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કે જેમણે ત્રીજો ડોઝ લેવાનો હતો તેવા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી મુકાવી હતી અને રસીકરણના કાર્યક્રમને વેગ આપ્યો હતો. સરકારશ્રી દ્વારા હાલ ત્રીજો ડોઝ પણ સામાન્ય નાગરિકો માટે ફ્રી કરી આપવામાં આવ્યો છે ત્યારે આજે વિદ્યાર્થીઓએ કોલેજ અને યુનિવર્સિટીના સ્ટાફ મેમ્બર્સ ઉપરાંત વાલીઓએ પણ રસીકરણનો લાભ ઉઠાવ્યો હતો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલસચિવ ડો અનિલ સોલંકી સાહેબે પણ ખાસ ત્રીજો ડોઝ લઈ સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં એનસીસી ઓફિસર જોગરાણા સાહેબ, કેમેસ્ટ્રીના ડો મુકેશ ચૌહાણ સાહેબ, ડો મિલનબેન લાકડાવાળા, ફિઝિક્સ વિભાગના ડો રાજીવ વૈદ, લો કોલેજના ડો સતીશ નાગર ઉપરાંત કાકણપુર કોલેજના ડો સાબતસિંહ સાહેબે રસી મુકાવેલી હતી.