જૂનાગઢ: 4 જાન્યુઆરી
જુનાગઢ જીલ્લામાં માણાવદર ને કપાસના ઉત્પાદનનું માનચેસ્ટર ગણાવમાં આવે છે, માણાવદર પંથક અને ઘેડ પંથકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર અને ઉત્પાદન થાય છે ત્યારે આ વર્ષે કપાસના ભાવ પણ સારો હોવાથી કપાસ પકવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે.
ત્યારે માર્કેટીંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન જગદીશભાઈ મારૂની વરણી થઇ ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવ મળે તે માટે હું સતત પ્રયત્નશીલ રહીશ ત્યારે આજે પોતે જ કપાસના ભાવની ઊંચી બોલી લગાવીને કપાસ ખરીદતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.