સુરેન્દ્રનગર : 17 જાન્યુઆરી
યાત્રાળુઓએ કોરોનાને ભુલી અને સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા…
ઝાલાવાડનું પ્રખ્યાત શક્તિમાતાનું મંદિર કોરોનાના પગલે દર્શનાર્થીઓ માટે બંધ…
મકરસંક્રાંતિના પર્વ તેમજ ત્રણ દિવસનું મિનિ વેકેશન હોવાથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરના યાત્રિકો યાત્રાધામોમાં ફરવા માટે નીકળી જતા હોય છે. જેના ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે માતાજીના દર્શન કરવાની લ્હાયમા ભક્તજનો કોરોનાનું ભાન ભૂલ્યા હતા.યાત્રાધામો પર દર્શન માટે આવતા જતા યાત્રિકો કોરોનાની ત્રીજી લહેર ભૂલી ગયા હતા. અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા છતાં તંત્ર અજાણ બન્યું છે.
આવી ભીડ ચોટીલા સહિત ગુજરાતભરને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતી હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ સહિત તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.શકિત માતાજીનું મંદિર બંધ રહેશે. ઝાલાવાડ ક્ષત્રિય સમાજ ટ્રસ્ટની એક જાહેર જનતા જોગ યાદી મુજબ પાટડી ધામા ખાતે શ્રી શકિત માતાજીનું મંદિર અને ભોજનાલય કોરોના કાળની પરિસ્થિતિ ધ્યાને લઈને મંદીર ટ્રસ્ટ દ્વારા દર્શને આવતાં યાત્રાળુઓ જોગ સંદેશ આપ્યો છે કે, શકિત માતાનું મંદિર આગામી કોરોનાની બીજી સૂચના ના આવે ત્યા સુધી બંધ રહેશે. મંદિર ટ્રસ્ટનાં મેનેજમેન્ટ દ્વારા દર્શનાર્થીઓ જોગ સંદેશ આપ્યો છે.