અંબાજી : 17 જાન્યુઆરી
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 બાદ કોરોના મહામારી ને કારણે, પોષી પુનમે મંદીર ભક્તો માટે બંધ રાખવામાં આવતું હોય છે જે આ વર્ષે પણ 15 થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર ના દ્વાર ભક્તો માટે બંદ કરાયા છે,જેથી મોટી સંખ્યામાં મંદીરે આવતા ભક્તો ને મહામારી ના સંક્રમણ થી સુરક્ષિત રાખી શકાશે..
અંબાજી મંદિર ના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ યોજાયો જે નિમિત્તે મંદિરનાં ગર્ભગૃહ મા માતાજી ને વિશેષ અન્નકુટ ધરાવવામા આવ્યો હતો,આજે શાકંભરી પુનમ હોવાથી માતાજીને શાકભાજી અર્પણ કરવામાં આવ્યું હતું,ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પરંપરાગત પદ્ધતિ મુજબ ગબ્બર પર્વત પરથી પવિત્ર જ્યોત લાવવામા આવી હતી,જે સિવાય આજના તમામ કાર્યક્રમો મંદિર ટ્રસ્ટ દ્વારા રદ કરવામાં આવ્યા હતા,અને ગણતરી ના ભક્તો ની હાજરી માં માતાજી ની અન્નકુટ આરતી કરવામાં આવી હતી.