Home આણંદ ગરીબોના હકના અનાજને સગે વગે કરવાનું ચલતું હતું કૌભાંડ… જાણો કેવી રીતે...

ગરીબોના હકના અનાજને સગે વગે કરવાનું ચલતું હતું કૌભાંડ… જાણો કેવી રીતે પકડાયું…

25
0

ગુજરાતમાં રાશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગર ડેટા મેળવી સરકારના EPFS એપ્લિકેશનમાં ચેડા કરી તેના જેવું જ અલગથી સોફ્ટવેર અને ડેટા સર્વરના માધ્યમથી વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારો મોટું કૌભાંડ આચારી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે. સરકારી સોફ્ટવેર એપ્લિકેશનમાંથી નાગરિકોની વિગતો અને ફિંગરપ્રિન્ટ સહિતનો ડેટા જોખમી હાથોમાં વેચાતો હોય છે.ભેજાબાજો દ્વારા રાષ્ટ્ર અને રાજ્યને પણ મોટું નુકશાન જાય તેવા કૌભાંડો અચરવામાં આવી રહ્યા છે.

 

વિદ્યાનગરમાં રહેતા અને સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીએ ઓનલાઇન એપ્લીકેશન મારફત રેશનકાર્ડ ધારકોને ફિંગર પ્રિન્ટ મેળવી હતી. જેમાં જે પરિવાર અનાજ – કરિયાણું લેતા ન હતાં. તેમની ડુબ્લીકેટ ફિંગર પ્રિન્ટ બનાવી ઓનલાઇન જથ્થો ઉપાડી બારોબાર વેચી દીધો હતો. આ બાબતને કોઈ ઈસમ દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા કચેરીના ધ્યાને આવતાં તુરંત આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

વિદ્યાનગરના બાકરોલ રોડ પર આવેલી તિર્થ-2 સોસાયટીમાં રહેતા સુરેશ કે. વોરાએ રેશનકાર્ડ પર અનાજનો પુરવઠો ન લેતા ગ્રાહકોના નામે મોટું કૌભાંડ આચર્યું હતું. સુરેશ વોરાએ નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર દ્વારા પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પીડીએસ) હેઠળ દુકાનદારો દ્વારા ઓપરેટ કરવામાં આવતો વેબપોર્ટલ  efps.gujarat.in માં કરવામાં આવતી કામગીરી જેમ કે રેશનકાર્ડ ધારક દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતું રાહતદરનું અનાજ મેળવવા માટે પોતાના આધાર આધારીત બાયોમેટ્રીક વેરિફીકેશન કરવાની કામગીરી દરમિયાન દુકાનદાર દ્વારા અન્ય કોઇ ઓનલાઇન એપ્લીકેશન મારફતે ગેરરીતિ કરવામાં આવી હોવાની અરજી મળી હતી.

 

મહત્વનું છે કે આ અરજી મુજબ સુરેશ કે. વોરા (રહે.22, તિર્થ-2, બાકરોલ જીસેટ કોલેજ રોડ, વિદ્યાનગર) દ્વારા રેશનકાર્ડ ધરાવતા લોકોના આધારકાર્ડ સાથે જોડાયેલા નંબર તથા ફિંગર પ્રિન્ટો સોફ્ટડેટા મેળવી આધાર નંબરો સાથે જોડાયેલા રેશનીંગ મેળવતા ગ્રાહકોના બનાવટી ફિંગર પ્રિન્ટ મારફત રેશનીંગ અનાજ લેવા ન આવેલા ગ્રાહકોની જાણ બહાર ગ્રાહકોના ભાગના રેશનીંગ જથ્થો મોબાઇલમાં એપ્લીકેશન દ્વારા બાયોમેટ્રીક વેરીફિકેશન કરાવી ઓનલાઇન બોગસ બિલો બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી તે રેશન મેળવી સગેવગે કરી આર્થીક ફાયદો મેળવી રેશનીંગ કાર્ડ ધરાવતા ગ્રાહકો તથા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે.જે અંગે ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ ને ફરિયાદ કરવામાં આવી છે.પોલીસ દ્વારા હાલ આરોપીની શોધખોળ આરંભાઈ છે

Previous articleગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ
Next articleકોરોનાની સારવાર લઈ રહેલ મહિલા દર્દી ભાગી જતા દોડધામ… જાણો પછી શું થયું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here